|
જો ટ્રસ્ટ બંધ કરવું હોય તો ટ્રસ્ટડીડ અથવા બંધારણમાં તે માટેની શું જોગવાઈ છે તે જુઓ તે અને તે પ્રમાણે તેનો અમલ કરો. જેમકે ટ્રસ્ટ ડીડમાં લખ્યું હોય કે સાધારણ સભા બોલાવી સર્વાનુમતે ઠરાવ કરવો પડે તો તે રીતે કરવો જોઈએ.
પછી ટ્રસ્ટની તમામ સ્થાવર જંગમ મિલકતનો નિકાલ ટ્રસ્ટના હેતુઓ ધ્યાનમાં રાખીને કરવો પડે અને સરવૈયુ શૂન્ય રકમથી લાવવું પડે.
ત્યાર પછી ટ્રસ્ટ ઓફિસમાં તે બાબતનો ચેઇન્જ રિપોર્ટ ભરી ટ્રસ્ટનો નોંધણી દાખલો પાછો આપવો પડે અને ટ્રસ્ટ ઓફિસમાં આ ચેઇન્જ રિપોર્ટ (ટ્રસ્ટ બંધ કર્યાનો) મંજુર કરાવવો પડે અને ટ્રસ્ટ ઓફિસમાંથી આ મંજુર કરેલ ચેઇન્જ રિપોર્ટનો કાગળ મળી જાય એટલે ટ્રસ્ટ બંધ થયું કહેવાય.
ઇન્કમટેક્ષમાં જો ટ્રસ્ટ રજીસ્ટર્ડ થયેલ હોય તો ત્યાં પણ કાગળ લખી નોટિસ આપવી પડે કે અમારા ટ્રસ્ટને કોઈ આવાક જાવક છે નથી. માટે ટ્રસ્ટ બંધ કરેલ છે તેની નોંધ લઈ ફાલઈલ બંધ કરવા વિનંતી કરવી.
|